આણંદ શહેર મિલ્ક સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને આંતરિક ડિઝાઇન દૂધના ટીપાંના પ્રવાહી સ્વરૂપ, આકાર અને રંગથી પ્રેરિત છે, જે તેની આસપાસના વિસ્તારમાં આવેલી ભારતની દૂધની રાજધાની આણંદની માલિકી ધરાવે છે.
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુખ્ય વિશેષતાઓ
● પ્લેટફોર્મની લંબાઈ - 415 મી
● સ્ટેશનની ઊંચાઈ - 25.6 મી.
● કુલ બાંધકામનો વિસ્તાર - 44,073 ચોરસ મીટર
આ સ્ટેશન પર ત્રણ માળ (ગ્રાઉન્ડ, કોનકોર્સ અને પ્લેટફોર્મ) હશે, જેમાં બે સાઇડ પ્લેટફોર્મ અને વચ્ચે 4 ટ્રેક હશે. તે તમામ આધુનિક અને અદ્યતન સગવડો અને સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ટિકિટિંગ અને પ્રતિક્ષાલય, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, રેસ્ટરૂમ, ઇન્ફર્મેશન બૂથ, રિટેલ સેન્ટર્સ વગેરે હશે.
NH-48 (દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈને જોડતા) સાથેના લિંક રોડ દ્વારા સ્ટેશનની હાલની કનેક્ટિવિટી ઉપરાંત, NHSRCL એ સ્ટેશનને એક બાજુ NH-48 અને બીજી બાજુ SH-150 (NH-48ને વિસ્તારની આસપાસના વિવિધ ગામો સાથે જોડવા માટે) વાયાડક્ટ સાથે વધારાની જમીન હસ્તગત કરી છે.
મલ્ટિમોડલ ટ્રાફિક ઇન્ટિગ્રેશન પ્લાન તમામ વાહનો (જાહેર અને ખાનગી)ની સરળ, ઝડપી, સુરક્ષિત અને આરામદાયક અવરજવર સુનિશ્ચિત કરે છે. પાર્કિંગ અને લેવા અને મૂકવાના સુવિધાઓની યોજના બનાવતી વખતે સ્ટેશન વિસ્તારમાં રાહદારીઓ અને મઘ્યાંતર જાહેર જીવન પરિવહન (આઇપીટી) અવરજવર (જેમ કે ઓટો રિક્ષા વગેરે)ને યોગ્ય ધ્યાનમાં લેવામાં આવી છે.
પેડેસ્ટ્રિયન પ્લાઝાની જગ્યાની સાથે કાર, ટુ વ્હીલર, ઓટો અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં મુસાફરને લેવા અને મૂકવા અને પાર્કિંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ કરવામાં આવેલા લેવા અને મૂકવાના વિસ્તારથી ખાનગી અને જાહેર પરિવહન વાહનો માટે લેવા અને મૂકવાના સમયમાં ઘટાડો થશે અને સ્ટેશન ફોરકોર્ટમાં સરળતાથી અવરજવર થશે અને કામગીરીના પીક અવર્સમાં ગીચતામાં ઘટાડો થશે.
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ઉત્તરસંડા રેલ્વે સ્ટેશન છે, જે સ્ટેશનથી લગભગ 600 મીટર પૂર્વમાં સ્થિત છે, જ્યારે સૌથી નજીકનું મુખ્ય સ્ટેશન નડિયાદ જંકશન રેલ્વે સ્ટેશન છે, જે સ્ટેશનથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે, જે 54 કિમી દૂર આવેલું છે, જ્યારે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટેશનથી 70 કિમી દૂર આવેલું છે. નિર્માણાધીન સ્ટેશનને સ્ટેશન પર આવવા-જવા માટે પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન દ્વારા હબ તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારૂ, ઝડપી અને મુશ્કેલી વિનાનુ જોડાણ મળી શકે.
મુસાફરો, હિતધારકોની સુલભતા અને સુવિધા વધારવા તથા સ્ટેશનોની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે, બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસના વિસ્તારોને ટીઓડી (ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ)ની નીતિઓ અનુસાર વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, રેલવે મંત્રાલય, ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સાથે જોડાણમાં તથા જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જીઆઇસીએ) સાથે ભાગીદારી સાથે, જે જાપાનમાં આવા જ સફળ પ્રોજેક્ટ્સમાંથી દાયકાઓનો અનુભવ લાવે છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (એસએમએઆરટી) સાથે સ્ટેશન વિસ્તાર વિકાસ માટે પ્રોજેક્ટ હેઠળ વિશ્વ-સ્તરીય સ્ટેશન વિસ્તાર વિકાસ તકનિક પ્રસ્તુત કરવાનો છે.
આ પ્રોજેક્ટ હેઠળ શહેરના અને રાજ્યના સત્તાવાળાઓ દ્વારા ગુજરાતના સાબરમતી અને સુરત અને મહારાષ્ટ્રના વિરાર અને થાણે એમ ચાર સ્ટેશનોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
એનએચએસઆરસીએલ વર્ષ 2030 સુધીમાં ભારતીય રેલવેનાં 'નેટ ઝીરો' લક્ષ્યાંક સાથે પોતાનાં માળખાગત સુવિધાને સુસંગત કરવા માટે તમામ બુલેટ ટ્રેન સ્ટેશનો અને ડેપો માટે રેટિંગ/સર્ટિફિકેશનની યોજના બનાવી રહી છે. સ્ટેશનની ઇમારત 'ગ્રીન બિલ્ડિંગ' તરીકે આવી રહી છે, જેમાં ડિઝાઇનમાં દર્શાવવામાં આવેલા ટકાઉપણાના તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદના પાણીનો સંચય, નીચા પ્રવાહના ફિક્સચર, કચરાની દેખરેખ અને વ્યવસ્થાપન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, ટ્રેક્શન અને ટ્રેક્શન પાવર બંને માટે ઉર્જાના વપરાશને ઓપ્ટિમાઇઝ કરવા, ઇકો-ફ્રેન્ડલી રેફ્રિજન્ટ્સ અને હેલોજન ફ્રી સિસ્ટમ્સનો ઉપયોગ, નવીનીકરણીય અને ગ્રીન પાવર, બાંધકામ દરમિયાન કચરાનું સંચાલન, નીચા વીઓસી (અસ્થિર કાર્બનિક સંયોજનો) ઉત્સર્જન કરતા પદાર્થો વગેરેનો ઉપયોગ કરીને ઘરની અંદરની હવાની ગુણવત્તા જાળવવી વગેરે છે.
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રગતિ
કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. છત અને છતની શીટિંગના કામનું સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે. બાહ્ય અગ્રભાગનું સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ ચાલી રહ્યું છે. એસ્કેલેટર ઇન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થયું છે. પ્લેટફોર્મ સ્તરે ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે.

